429 શાળાઓ
451 શિક્ષકો
35,377 વિદ્યાર્થીઓ
કામગીરીનો વિકાસ
- ગણિત - 58.33%
- વિજ્ઞાન - 60.1%
કેઆરએસએફની સ્થાપના પાછળનો વિચાર
આ સંસ્થાની રચના કેવી રીતે થઈ તથા તેની લોકોના જીવન પર કેવી અસર થઈ છે તેનો એક રોચક ઇતિહાસ છે, જે ડૉ. કે. આર. શ્રોફ (1921-1989) ની માનવતાવાદી ફિલોસોફી સાથે સંકળાયેલ છે.
તેઓનું માનવું હતું કે ‘સમાજના વંચિત વર્ગના નાગરિકોને સશક્તિકરણ માટે મદદ કરવી એ રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા છે’.તેમના વ્યવસાય અને દૈનિક જીવનમાં તેઓ હંમેશા આ વાતને અનુસરતાં. તેમના જ પથ પર આગળ વધતાં અને તેમના મૂલ્યોને અનુસરતા, તેમના પુત્ર પ્રતુલ શ્રોફને સમજાયું કે એક એવું પરિવર્તન લાવવું જરૂરી છે જ્યાં ગ્રામીણ પછાત વર્ગ પણ રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે. તેમણે એવા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં આવા સમુદાયો સરળતાથી ભાગ લઈ શકે અને તેમની ક્ષમતાનો પૂરેપુરો ઉપયોગ કરી શકે.તેઓના મતે, આ બદલાવ માત્ર અને માત્ર કેળવણીથી શક્ય છે. સાચું અને યોગ્ય શિક્ષણ જ વ્યક્તિમાં મૂળભૂત રીતે પરિવર્તન લાવે છે, જે તેમને સમાજ પાસેથી લેનાર નહિ, બલ્કે સમાજને કંઈક પ્રદાન કરનારમાં પરિવર્તિત કરી શકે છે. કેઆરએસએફની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિમાં જ્ઞાનના મહત્તમ ઉપયોગ દ્વારા આત્મનિર્ભરતા કેળવવાનો છે, જેથી તેઓ દેશના આર્થિક વિકાસમાં આત્મનિર્ભર બની ફાળો આપી શકે.
આજે, મૂલ્ય આધારિત શિક્ષણના આધારે અમે શિક્ષણને નવું સ્વરૂપ, નવી વ્યાખ્યા આપીને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ શિક્ષકોની ક્ષમતામાં પણ નોંધપાત્ર વિકાસ કર્યો છે. આ પ્રક્રિયામાં, અમે શિક્ષણના માળખાને મજબૂત બનાવ્યું છે, તથા યોગ્ય માધ્યમોથી શિક્ષણ આપવાનું સંપૂર્ણ માળખું વિકસિત કર્યું છે.
આપણે સહુ જાણીએ છીએ કે ફક્ત સામૂહિક પ્રયત્નોથી જ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. અમારા આ પ્રયત્નોમાં લોકોને ભાગીદાર બનાવીને, અમે સમાજમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.